મોરબીમા રાજપુત કરણી સેના દ્વારા બે દિવસીય રાસોત્સવનું આયોજન

- text


મોરબી : હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે મોરબી રાજપુત કરણી સેના દ્વારા અત્રેના દરબારગઢ ખાતે બે દિવસીય રસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી રાજપુત કરણી સેના દ્વારા મોરબી ક્ષત્રિય સમાજ માટે આગામી તારીખ 20 અને 21 ઓક્ટોબરના રોજ એટલે કે છઠ્ઠા અને સાતમા નોરતે દરબારગઢ ખાતે રસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રસોત્સવ મોરબીના દરબારગઢ ખાતે રાત્રે 9 કલાકેથી શરૂ થશે. આ રસોત્સવમાં મોરબી ક્ષત્રિય સમાજને પધારવા કરણી સેનાના કે.ડી. જાડેજા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text