મોરબીમાં 650 ગૌવંશને રેડિયમ પટ્ટા લગાવાયા

- text


મોરબી : હાઇવે ઉપર તેમજ શહેરમાં રસ્તે રખડતા ગૌવંશને કારણે રાત્રીના સમયે અકસ્માત ન સર્જાય તેવા હેતુ સાથે મોરબીના ગૌસેવા એજ માનવ ધર્મ ગ્રુપ દ્વારા મોરબીમાં 650 જેટલા ગૌ માતા અને નંદીના શીંગડા ઉપર રેડિયમના પટ્ટા લગાવામાં આવ્યા હતા. આ સેવા કામગીરીમાં સાથ સહકાર આપવા બદલ ગ્રુપના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text