- text
મોરબી : મોરબીની દીકરી અને હાલ જામનગર ખાતે સાસરે રહેલા ક્રિષ્નાબેન હેડાવે પુત્રી અને પરિવારની જવાબદારીની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરીને TAT Sની પરીક્ષા પાસ કરી છે.
મોરબીના શિવશક્તિ ફરસાણવાળાના દીકરી હેડાવ ક્રિષ્નાબેન પિતાને ત્યાં પીટીસી અને એમએ પૂર્ણ કરીને જામનગર સાસરે ગયા હતા. લગ્ન બાદ પણ તેઓએ અભ્યાસ ચાલુ રાખીને તાજેતરમાં જ એપ્રિલ-2023માં બીએડ 92.72 ટકા સાથે પૂર્ણ કર્યું. ઘરમાં એક દીકરી, પતિ, સાસુ-સસરાની સાર સંભાળ રાખતા રાખતા ક્રિષ્નાબેને TAT S પરીક્ષાની તૈયારી કરી અને 200માંથી 121 ગુણ મેળવીને પરીક્ષા ઉતિર્ણ કરી છે. આમ ક્રિષ્નાબેને બે ઘરનું નામ ઉજળું કર્યું છે.
- text
- text