મોરબીમાં સીમા જાગરણ મંચ દ્વારા કારગીલ વિજય દિવસ ઉજવાયો

- text


મોરબી : તા. 26 જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીના સીમા જાગરણ મંચ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીમા જાગરણ મંચના સભ્યો દ્વારા શહેરમાં આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે ભારતમાતાનું પુજન કરવામાં આવ્યું હતું. આ તકે સભ્યોએ વતન માટે કુરબાન થયેલા શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text