મોરબી જિલ્લાના 7 નાયબ મામલતદારોની પોતાના વતનમાં બદલી : મોરબીમાં નવા 3 મુકાયા

- text


મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 206 નાયબ મામલતદારોની તેમની ઈચ્છા મુજબ તેમના વતનમાં બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના 7 નાયબ મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સેજલ ટાંકની રાજકોટ, સુનિલ મેસરિયાની અમદાવાદ, વી.પી. બારડની અમદાવાદ, પ્રિયંકા ચાવડાની મહેસાણા, પારસ ત્રિવેદીની રાજકોટ, એચ.ટી. ગોહેલની રાજકોટ અને એસ.આર. ગોહેલની રાજકોટ બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટથી પીવી સોરીયા, અમરેલીથી સુરેશ સોલંકી અને જામનગરથી નિખિલ ચાવડાની મોરબીમાં બદલી કરવામાં આવી છે.

- text

- text