મોરબીના રફાળેશ્વરની દીકરીને ચોટીલાના સાસરિયાઓનો ત્રાસ

- text


ચોટીલા તાલુકાના લાખણકા ગામના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ 

મોરબી : મોરબીના રફાળેશ્વર ખાતે માવતર ધરાવતા પરિણીતાને ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા પતિ, સાસુ અને સસરા ઘરકામ બાબતે છેલ્લા ત્રણેક વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપી માર કુટ કરતા હોવાથી પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છુનગરમા માવતરના ઘેર રહેતા સેજલબેન નંદલાલભાઈ સોલંકીએ ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા પતિ નંદલાલભાઈ મંગાભાઈ સોલંકી, સસરા મંગાભાઈ સોલંકી અને સાસુ રૂપાબેન મંગાભાઈ સોલંકી દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી ઘરકામ બાબતે અવાર નવાર મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ આઇપીસી કલમ 498 (ક), 323, 504 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text