- text
ટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ આગામી તારીખ 5ને શુક્રવારે યોજાશે.
ટંકારા તાલુકાના ગણેશપર ગામે રૂપિયા 16 લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનું આગામી તા.5ને શુક્રવારના રોજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરવામાં આવશે. આ તકે, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, આર.ડી.સી.બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા વાઇસ ચેરમેન, માર્કેટિંગ યાર્ડ મોરબીના ચેરમેન ભવાનભાઈ ભાગિયાં સહિતના મહેમાનો હાજર રહેશે.
આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરીયા, મામલતદાર કેતનભાઇ સખિયા, ટીડીઓ હર્ષવર્ધનસિંહ જાડેજા, ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, કમળાબેન અશોકભાઈ ચાવડા, નીમુબેન ડાંગર, ગીતાબેન ભોરણીયા, અશોકભાઈ ડી.પટેલ સંજયભાઈ ભાગીયાં, ડિરેક્ટર રાજકોટ ડી કો ઓપ બેંક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
- text
આ અવસરે ગ્રામજનોને હાજર રહેવા સરપંચ પમુબેન ભગવાનજીભાઈ ચૌધરી, ઉપસરપંચ અતુલભાઇ દેવડા, તલાટી કમ મંત્રી બીનાબા જાડેજા તથા પંચાયત સદસ્યોએ લોકાર્પણ સમારોહમાં પધારવા આમંત્રણ આપેલ છે.
- text