વાંકાનેરની મચ્છુ નદીના પુલેથી આધેડે અને બાઉન્ડ્રીના પુલ ઉપરથી પડતું મૂકી યુવાનનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ મથકમાં બુધ અને ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં એક અજાણ્યા આધેડ વ્યક્તિએ અને યુવાને પુલ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લેતા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી સીટી તેમજ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રથમ કિસ્સામાં ગત તા.26ના રોજ રાત્રીના સમયે વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી પડતું મૂકી રાજકોટના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમા રહેતા કેતનકુમાર કિશનભાઈ ચાવડા ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

જ્યારે બીજા બનાવમાં વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી અંદાજે 50 વર્ષની ઉમરના અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આધેડના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

- text