કાલે બુધવારે મોરબીના લાતીપ્લોટ, પંચાસર રોડ વિસ્તારમાં વીજકાપ

- text


મોરબી : આવતીકાલે બુધવારે મોરબીના લાતીપ્લોટ, મુનનગર, રાજનગર સહિતના અનેક વિસ્તારોમાં નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરીને કારણે સવારથી બપોર સુધી વીજ કાપ રહેશે.

મોરબી વીજ તંત્રના જણાવ્યા મુજબ આવતીકાલે તા.26ને બુધવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી રાજનગર ફીડરમાં સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી પાવર બંધ રહેશે.

- text

આ ફીડર હેઠળ રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5 અને 6નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં ઉપરોક્ત સમય દરમિયાન પાવર સપ્લાય બંધ રહેશે.

- text