10 એપ્રિલે મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પ  

- text


મોરબી : વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તારીખ 10 એપ્રિલને સોમવારના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા દરમિયાન ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહત ભાવે દવાઓ તથા લોહી-પેશાબની તપાસ કરી આપવામાં આવશે.

આર્યતેજ જનરલ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પમાં નિષ્ણાતોની ટીમમાં સ્ત્રી રોગોના નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, જનરલ સર્જન, હોમિયોપેથીકના નિષ્ણાત, ફિઝીયોથેરાપીસ્ટ, કાન, નાક, ગળાના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાંત, આંખના નિષ્ણાત, આયુર્વેદિક સારવારના નિષ્ણાંત (હરસ,મસા, ભગંદરના નિષ્ણાત), દાંતના નિષ્ણાત તબીબો સેવાઓ આપશે. વધુ માહિતી માટે મો.નં. 95124 10063 અથવા 94283 47800 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text