મોરબીના ભક્તિનગર બ્રીજને મોરબીના ગાંધીનું નામકરણ કરવા માંગ 

- text


વૈદ્યસભા પ્રમુખ દ્વારા બ્રિજને સ્વ. ગોકળદાસ પરમારનું નામ આપવા સીએમને રજૂઆત

મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ બાયપાસ રોડ પર ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ બ્રીજનું નામ મોરબીના ગાંધી એવા સ્વ. ગોકળદાસ પરમાર ઓવરબ્રીજ રાખવા માટે મોરબી વૈદ્ય સભાના પ્રમુખ ડો. બી.કે. લહેરુએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

મોરબી વૈદ્યસભાના પ્રમુખ ડો. બી.કે.લહેરુએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, સ્વ. ગોકળદાસ બાપાએ ધારાસભ્ય તરીકે મોરબી તથા ગ્રામ્ય જનતાની નિઃસ્વાર્થ સેવા કરી છે. તેઓ ખાદી ઉદ્યોગમાં નામાંકિત, પ્રખર, બુદ્ધિશાળી, આજીવન ભેખધારી, વિદ્વાન પ્રખર ગાંધીવાદી, વિષય નિષ્ણાત ખાદી ધારી, નખશીખ પ્રમાણિક ઉમદા સેવક રહ્યા છે. આવા ઉમદા વ્યક્તિનું નામ ઓવરબ્રીજ સાથે જોડવામાં આવે તેવી માંગણી અને લાગણી છે.

- text

- text