સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થવાના અણસાર 

- text


ગેસને જીએસટીના દાયરામાં લેવા પણ ભલામણ : હવે દર મહિને નેચરલ ગેસની કિંમત નક્કી થશે : પરીખ સમિતિની ભલામણોને મંજૂરી આપતી કેન્દ્ર સરકાર 

મોરબી : કેન્‍દ્ર સરકારે નેચરલ ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્‍યુલાને મંજૂરી આપી છે. સાથે જ પાઇપ દ્વારા સપ્‍લાય કરવામાં આવતા સીએનજી – પીએનજી અને LPGના ભાવની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. જેના કારણે સીએનજી અને પીએનજીના ભાવમાં 10 ટકાનો ઘટાડો થશે. વડાપ્રધાન મોદીની અધ્‍યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કુદરતી ગેસ માટે કિરીટ પરીખ સમિતિની ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી.

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્‍યું હતું કે પરંપરાગત ક્ષેત્રમાંથી ઉત્‍પાદિત કુદરતી ગેસ હવે યુએસ-રશિયાની જેમ ક્રૂડ ઓઇલની કિંમતો સાથે જોડવામાં આવશે. વધુમાં હાલમાં દર છ મહિને ગેસના દર નક્કી કરવામાં આવે છે. જેની બદલે હવે દર મહિને ગેસના ભાવ નક્કી કરવામાં આવશે. ગેસ ઉત્‍પાદનને પ્રોત્‍સાહિત કરવા માટે, વધારાના ઉત્‍પાદન પર 20 ટકા પ્રીમિયમ આપવાનો પ્રસ્‍તાવ કરાયો છે. જો વર્તમાન ઉત્‍પાદકો ગેસનું ઉત્‍પાદન વધારશે, તો તેમને જાહેર કરેલ કિંમત ઉપરાંત 20 ટકા પ્રીમિયમના સ્‍વરૂપમાં પ્રોત્‍સાહન આપવામાં આવશે. આનાથી ઉત્‍પાદકોને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્‍પાદન વધારવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવશે.

- text

વધુમાં પરીખ કમિટીએ ગેસને જીએસટીના દાયરામાં લાવવાની પણ ભલામણ કરી છે. જેમાં ગેસ પર ત્રણ ટકાથી માંડીને ૨૪ ટકા સુધીનો સામાન્‍ય ટેક્‍સ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. તેનાથી ગેસ માર્કેટને પ્રોત્‍સાહન આપવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં એનર્જીના ભાવમાં વધારાને કારણે દેશમાં સીએનજી અને પીએનજીના ભાવમાં એક વર્ષમાં 80 ટકાનો વધારો થયો છે.આ નિર્ણયથી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

- text