મોરબીમાં સ્વજનના સ્મરણાર્થે 11 જગ્યાએ સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયા

- text


1000 થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવાયા

મોરબી: હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં વિવિધ 11 જગ્યાએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીના જણાવ્યા મુજબ મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ થકી 1000થી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આગામી 4 અને 5 ફેબ્રુઆરીના પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી 12 કે તેથી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ”નું આયોજન કરાયું છે. વર્ષ 2023માં 150થી વધુ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજવા નક્કી કરાયું છે.

- text

- text