માળીયાની જાજાસર અને દેવગઢ શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

- text


માળીયા (મી.): માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા અને દેવગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

માળીયા તાલુકાની બન્ને શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસમાં ગોંડલ અક્ષર મંદિર, કાગવડ ખોડલધામ મંદિર, પરબધામ- વાવડી, જૂનાગઢ સાયન્સ સિટી, સક્કરબાગ તેમજ ગિરનાર પર્વત અને રાજકોટ રામવનની મુલાકાત કરાવવામાં આવી હતી. આ પ્રવાસના આયોજનને સફળ બનાવવા ભાવેશભાઈ બોરીચા, હરદેવભાઈ કાનગડ, હિનાબેન સુતરીયા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text