મોરબી ખાદી ગ્રામોદ્યોગ કાર્યાલયે ડો. હસ્તી મહેતાનો 96મો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : સનહાર્ટ ગ્રુપ ઓફ મોરબી હસ્તે ગોવિંદભાઈ વરમોરાના સૌજન્યથી મોરબીમાં ગત તારીખ 31 ડિસેમ્બર ને શનિવારના રોજ એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના વી.સી.પરા ચાર ગોડાઉન પાસે આવેલા ખાદી ગ્રામોદ્યોગ કાર્યાલયે 31 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી 12-30 વાગ્યા સુધી યોજાયેલો આ કેમ્પ ડો. હસ્તી આઈ. મહેતાનો 96મો નિદાન અને સારવાર કેમ્પ હતો. જેમાં ડો. હસ્તી આઈ. મહેતાએ જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી આપી હતી સાથે જ ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા લખમણભાઈ કંઝારિયા, પ્રમુખ દેવકરણભાઈ, રમણિકભાઈ પરમાર તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ, કેતનભાઈ મહેતા, કોઠારીભાઈએ સેવા આપી હતી.

- text

- text