મોરબી ખોડીયાર યુવા ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયું

- text


મોરબી : ખોડીયાર યુવા ગ્રુપ બોટાદ દ્વારા શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે તે માટે મોરબીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખોડીયાર યુવા ગ્રુપ બોટાદના ચેરમેન ધાર્મિકભાઈ ફતેપરા અને સભ્યો કુલદીપભાઈ, વિશાલભાઈ, રુતુલભાઈ, ધવલભાઈ અને અન્ય સભ્યોની મદદથી 100થી પણ વધારે ધાબળાનું વિતરણ કરાયું હતું. સેવાભાવી યુવાનો દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ, જુના બસ સ્ટેન્ડ, જેલ રોડ, ધકાવાળી મેલડી માતાજી મંદિર, એસપી રોડ, કેનાલ રોડ, પુલ નીચે અને મહેન્દ્રનગર ચોકડી સહિતના વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું.

- text

- text