મોરબીના ખાખરાળા ગામે 7 જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે આગામી તારીખ 7 જાન્યુઆરીને શનિવારના રોજ સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાખરાળા ગામે 7 જાન્યુઆરીએ રાત્ર 9 કલાકે સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે યોજાનાર આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક બિરજુભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે અને હસાવશે. તો આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા કૃભકોના ડિરેક્ટર મનગભાઈ ધનજીભાઈ વડાવિયાએ સૌને આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text