ટંકારાના બે રેકઝીન યુનિટમાં સીજીએસટીના દરોડા : રૂ.40 લાખની જીએસટી ચોરી ઝડપાઇ

- text


રાજકોટ સીજીએસટીની કાર્યવાહીમાં 40 લાખની જીએસટી ચોરી કરાઈ હોવાનું ખુલતા ટૂંક સમયમાં રિકવરી કરાશે

મોરબી : વિધાનસભાની ચૂંટણીઓ પુરી થયા બાદ ઉધોગોમાં થતી જીએસટી ચોરી બહાર લાવવા માટે ફરીથી રાજકોટ સીજીએસટી ટીમ ત્રાટકી હતી. જેમાં રાજકોટની સીજીએસટી ટીમે ગઈકાલે ટંકારાના બે રેકઝીન યુનીટો પર જીએસટી ચોરી મામલે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજકોટ સીજીએસટીની કાર્યવાહીમાં ટંકારાના બે રેકઝીનના યુનિટોમાં 40 લાખની જીએસટી ચોરી કરાઈ હોવાનું ખુલતા ટૂંક સમયમાં રિકવરી કરાશે.

રાજકોટ સીજીએસટીની ટીમના હેડક્વાર્ટર પ્રીવેન્ટીવ સુપ્રીન્ટેનડેન્ટ રાજેન્દ્ર મીના, જે.ડી. પરમાર, પુરોહિત અને ઇન્સ્પેક્ટરોના કાફલા સાથે ટંકારામાં આવેલા સ્વીઝર પોલી પ્લાસ્ટ, અને શાલદીપ કોટિંગ નામના બે રેકઝીનનું ઉત્પાદન કરતા યુનિટો પર ડેટાની સઘન ચકાસણી કર્યા બાદ દરોડો પાડવામાં આવ્યા હતા. રાજકોટની સીજીએસટી ટીમ દ્વારા આ બન્ને યુનિટોમાં જીએસટી અંગે ડોક્યુમેન્ટની તપાસ કરતા રૂ.40 લાખની જીએસટીની ચોરી કરાઈ હોવાનો ચોકવાનારો ઘટસ્ફોટ થયો હતો. ચકાસણી દરમિયાન આ બન્ને યુનિટો દ્વારા કિંમતમાં અંડર ઇન્વોઇસ અને બિલ વગર તૈયાર માલનું વેચાણ કરીને જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. આથી હાલ આ બન્ને યુનિટો દ્વારા રૂ.40 લાખની જીએસટી ચોરી કરાતી હોવાનું ખુલતા બન્ને યુનિટો પાસેથી રાજકોટની સીજીએસટી ટીમે રિકવરીની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતા હવે જીએસટી ચોરી મામલે રાજકોટની ટીમ એક્શનમાં આવી છે અને દરોડનો દૌર આગામી સમયમાં મોરબીના ઉધોગો સુધી લંબાય તેવી શકયતા છે.

- text

- text