ઝૂલતા પુલ દુર્ઘટના : હતભાગી પરિવારોની દુર્ઘટનાગ્રસ્ત સ્વજનને શોધવા દોડધામ 

- text


 

તંત્ર સિવિલ હોસ્પિટલમાં પણ હેલ્પલાઇન જાહેર કરે, જેમના મૃતદેહ આવતા જાય તેમના નામ જાહેર કરતા જાય તેવી માંગ

મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં હતભાગી પરિવારો દુર્ઘટનાગ્રસ્ત સ્વજનને શોધવા દોડધામ કરી રહ્યા છે. ત્યારે તંત્ર સિવિલ હોસ્પિટલમાં પણ હેલ્પલાઇન જાહેર કરે અને જેમના મૃતદેહ આવતા જાય તેમના નામ જાહેર કરતા જાય તેવી માંગ ઉઠી છે.

મોરબીમાં આજે ઝૂલતો પુલ તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીમાં ડૂબી ગયા છે. જેમાંથી અંદાજે 50 જેટલા તો મૃતદેહ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બચાવ કાર્ય ચાલુ જ છે. જે લોકો ઝૂલતા પુલે ગયા હતા. તેઓના પરિવારજનો હાલ સિવિલ સહિતની હોસ્પિટલોમા પોતાના સ્વજનને શોધવા માટે દોડધામ કરી રહ્યા છે. વધુમાં તંત્ર સિવિલ હોસ્પિટલમાં પણ હેલ્પલાઇન જાહેર કરે અને જેમના મૃતદેહ આવતા જાય તેમના નામ જાહેર કરતા જાય તેવી માંગ પરિવારોમાંથી ઉઠી છે..

- text

- text