મોરબીમાં આવતીકાલે 2જી ઓક્ટોબરથી આપણી વનસ્પતિ ઓળખીએ અભિયાન

- text


મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કરાશે

મોરબી  : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા ‘આપણી વનસ્પતિને ઓળખીએ’ વિષય અંતર્ગત પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે ત્યારે આ અભિયાનમાં જોડાવવા અને દુર્લભ વનસ્પતિની ઓળખ મેળવવા સૌ પર્યાવરણ પ્રેમીઓને આહવાન કરવામાં આવ્યું છે.

- text

આવતીકાલે તારીખ 2 ઓક્ટોબરને રવિવારે સાંજે 3 થી 5 વાગ્યા દરમ્યાન મહાપ્રભુજીની બેઠકની સામે, ઝુલતા પુલના સામા છેડે આ કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓને જોડાવવા જણાવવામાં આવ્યું છે. સમગ્ર અભિયાનમાં પ્રત્યક્ષ માર્ગદર્શક તરીકે વૈદ્ય કે.જે. ઝાલા અને પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કર રહેશે.

- text