- text
હળવદ તાલુકાના ધનાળા ગામનો બનાવ
હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામે પાડોશી વાડી માલિકે મુકેલા ઝટકા કરંટને અડકી જતા મધ્યપ્રદેશના ખેત શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં જયેશભાઇ વાસુદેવભાઇ દલવાડીની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બદલા દુધીયાવડ ફળીયુના રહેવાસી વિક્રમભાઇ ઉર્ફે ઇકરીયા ભંગડાભાઇ ડાવર, ઉ.33 નામનો યુવાન વાડીમાં આટો મારતો હતો ત્યારે પાડોશી વાડી માલિકે મુકેલા ઝટકા તારને અડકી જતા કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text