મોરબીના મહેન્દ્રઘાટ નજીક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું

- text


મોરબી : મોરબી મચ્છુ નદીના કાંઠે મહેન્દ્ર ઘાટ નજીક આજે સાંજના સમયે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મચ્છુ નદીના કાંઠે રામઘાટ નજીક આવેલ મહેન્દ્ર ઘાટની દીવાલ પાસેથી અધૂરા માસે જન્મેલ હોય તેવા નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં 108 અને પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. વધુમાં હાલમાં પોલીસે મૃતદેહને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી છે.

- text

- text