આવતીકાલે ગુરુવારે આમરણમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાશે

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 4 ઓગસ્ટને ગુરુવારના રોજ આમરણમાં નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવનાર છે.

સિદ્ધિ વિનાયક ગ્રુપ આમરણ અને રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ (આંખની હોસ્પિટલ) દ્વારા કાસુન્દ્રા પરિવાર ભવન (મંદિર), આમરણ ખાતે આવતીકાલે 4 ઓગસ્ટને ગુરુવારના રોજ સવારે 9-30 થી 12-30 સુધી નેત્રમણી-નેત્રયજ્ઞ ઓપરેશન સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં સિદ્ધિ વિનાયક ગ્રુપ તરફથી આંખની કોઈપણ તકલીફ હોય તેમજ મોતીયાની સારવાર પણ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ (મો.નં.- 95100 10036) નો સંપર્ક કરવો.

- text

- text