જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ટંકારા આર્ય વિધાલયમના ત્રણ છાત્રો ઉતીર્ણ

- text


ટંકારા : ટંકારા આર્ય વિધાલયમના ત્રણ છાત્રો જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.આ બદલ શાળા પરિવાર અને વાલીઓએ શુભેચ્છા પાઠવી હતી.

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ટંકારા આર્ય વિધાલયમ્ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં જીવાપર ગામની મોલિયા ડોલી રામજીભાઈ,નેકનામ ગામની મુંદડિયા કેવિન અરવિંદભાઈ અને ટંકારા ગામની ભાગીયા ચર્વી ચેતનભાઈ ધો.6 માટેની જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા પિતા, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે, તે બદલ સૌવે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

- text

- text