- text
મોરબી : આગામી તારીખ 13/7ને ગુરુપૂર્ણિમાના રોજ શાંતિવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
સદગુરુદેવ કેશવાનંદ બાપુ ગુરુદેવ મહેશ્વરાનંદ બાપુના ચરણ કમળોમાં સાનિધ્યમાં શાંતિવન આશ્રમ, રત્નેશ્વર મહાદેવ, ધોળેશ્વર રોડ, મોરબી ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સવારે 7:00 કલાકે ગુરુપૂજન, ગુરુ યાગ, સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. મહાપ્રસાદ બપોરે 11:00 કલાકે યોજાશે.
- text
સંતવાણીમાં ગાયક શૈલેષભાઈ સી. રાવલ, ભજનિક કરસનભાઈ સાગઠીયા, લલીતાબેન ઘોડાદ્રા, બેન્જોવાદક વિજયભાઈ મકવાણા, ઉસ્તાદ લાલાભાઇ, દેવાંગભાઈ, મંજીરાના માણીગર નીતિનભાઈ, ભરતભાઈ સહિતના કલાકારો સંતવાણીમાં રમઝટ બોલાવશે.ગુરુપૂર્ણિમા મહોત્સવનો તેમજ સંત દર્શનનો અમૂલ્ય લાભ લેવા સર્વેને જાહેર અનુરોધ કરાયો છે.
- text