મોરબી રાજપૂત સમાજ ટ્રસ્ટ અને વનવિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોરબીના રાજપૂત પરિવારને મોરબીના રાજ પરિવાર દ્વારા દાનમા આપેલી જમીન નઝરબાગ રોડ ઉપર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણના કાર્યક્રમમાં ડે. કલેકટર દેવેન્દ્રસિંહ ઝાલા, આર.એફ.ઓ. સંજયભાઈ ભરવાડ, ફોરેસ્ટ વિભાગના સોનલબેન, રાજપૂત સમાજના અગ્રણી કનકસિંહ જાડેજા, દિલીપસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ ઝાલા, જનકસિંહ ઝાલા-સરપંચ અદેપર, મનહરસિંહ જાડેજા-ન્યુ પેલેસ-મોરબી, વિશ્વરાજસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પુરણસિંહ જાડેજા, લાલુભા ઝાલા, ભગીરથસિંહ જાડેજા, વૃક્ષપ્રેમી રમેશભાઈ બોરીચા ઉપસ્થિત રહીને આ હરિયાળી મહોત્સવને સફળ બનાવ્યો હતો.

આ જમીન મોરબી રાજપૂત સમાજ ટ્રસ્ટને રાજ પરિવાર મોરબી-દ્વારા પાંચ વિધા જમીન દાનમાં આપવામાં આવેલ છે. જેથી પ્રમુખ કનકસિંહ જાડેજા દ્વારા રાજ પરિવાર તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text