- text
માળિયા(મી.) : જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે પુત્રના જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જયદિપભાઇ યોગેશભાઈ ખાંભરાના પુત્ર તેમજ અમિતભાઈ લાવડિયાના ભાણેજ સમરના પ્રથમ જન્મદિવસ નિમિતે ખોટા ખર્ચાને તિલાંજલિ આપીને પોતાના માદરે વતન મેઘપર ગામમાં તેમજ વાડીમાં રહી મજૂરી કરતા મજૂરોના 1 થી 15 વર્ષ સુધીના 70 થી 80 બાળકોને કપડાનું વિતરણ કરીને જન્મની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
- text
- text