લજાઇમાં રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘ દ્વારા કોરોના મૃતકો માટે શાંતિ યજ્ઞ

- text


ટંકારા : લજાઈ ગામે આજરોજ કોરોનામાં મૃત્યુ પામેલા લોકો માટે રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ લજાઈ ગામના જોગબાપુ આશ્રમ ખાતે રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘના તમામ સભ્ય ઉપસ્થિત રહી અને ભારત દેશ કોરોનામાં મૃત્યુ પામેલા તમામ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયાબેન રામાવતએ જણાવ્યું હતું કે ફરી ક્યારેય પણ આવી કપરી પરિસ્થિતિ ભારત દેશ ઉપર ન આવે તેવી પ્રાર્થના કરી.જેથી ફરી પાછો આવા કપરા સમયનો સામનો ન કરવો પડે.

- text

- text