ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે ગુરૂભાવ વંદના કાર્યક્રમ યોજાશે

- text


ગુરૂજનોના સન્માન સાથે વીર સૈનિકોનું પણ બહુમાન કરાશે

મોરબી : સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભૂતપૂર્વ શિક્ષકો માટે ગુરૂભાવ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે વીર સૈનિકોનું પણ બહુમાન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ દ્વારા આગામી તા.1મે ને રવિવારના રોજ સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ શિક્ષકો પ્રત્યે કુતજ્ઞતા અને ઋણ સ્વીકારની ભાવના વ્યકત કરવા ગુરૂભાવ વંદના કાર્યક્રમ મોરબી ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ ગુરૂજનો જી.કે.રાઠોડ,સ્વ.એસ.એ.ગોસ્વામી,બી.જી.વડઘાસીયા,સી.એમ.વડસોલા,બી.કે.હુલાણી,વી.બી.પારજીયા,જે.એમ.ગોહિલ વગેરેનું ભાવવંદના સહ સન્માન કરી સહ પરિવાર આશીર્વાદ મેળવાશે.

- text

ગુરૂજનોના સન્માન સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા તેમજ હાલમાં ફરજ પરના વીર સૈનિકોનું પણ સન્માન કરી તેઓએ કરેલ રાષ્ટ્રસેવા અને પોતાના જીવનના ત્યાગ,બલિદાન અને સમર્પણ ભાવ પ્રત્યે લાગણી વ્યકત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં હાઈસ્કુલમાં ભણી ગયેલા માણાબા,સુલતાનપુર,ચીખલી,વેણાસર,વેજલપર,કુંભારીયા,રોહીશાળા તેમજ ખાખરેચીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર સામેલ થશે.આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન તેમજ વિશેષ વિગત માટે મહેશભાઈ પારજીયા મો. 9979752044 અને કાંતિલાલ માનસેતા મો.9904575474 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text