મોરબીના પરશુરામ ધામમાં ચબુતરા અને સંત કુટીરનું ખાતમુહુર્ત

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ધીમે ધીમે યાત્રાધામ તરીકે વિકસી રહ્યું છે ત્યારે આજે પરશુરામધામમાં સંત કુટિર અને ચબૂતરાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના પરશુરામધામ ખાતે આજે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વી. સી. હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ બી. ટી. ઠાકરના વરદ હસ્તે સંત કુટીર તેમજ ચબુતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ભુપતભાઈ પંડયા, અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, આર. કે. ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મેહતા, કૌશિકભાઈ વ્યાસ તેમજ મોરબીના બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા.

- text