નવલખી બંદરના કર્મચારીઓની ગાંધીનગરમાં જનસભા યોજાશે

- text


મોરબી : ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશના નેતૃત્વ હેઠળ નવલખી બંદરના કર્મચારીઓની જનસભા અને શકિત પ્રદર્શન ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ દરમ્યાન કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સક્ષમ કક્ષાએ રજુઆત કરવા માટે કર્મચારીઓની એકતા અને સંગઠીતતાની તાકાતને પ્રદર્શીત કરવામાં આવશે.

ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશના નેતૃત્વ હેઠળ આગામી તા.9 બુધવારના બપોરના 1 કલાક સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે શકિત પ્રદર્શન અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યકમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ,નવલખી,મોરબી ખાતે ફરજ બજાવતા કર્મચારી અને કામદાર મિત્રો તથા નિવૃત પેન્શનરો વગેરે સંગઠન લક્ષી કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાગ લેશે.

- text

આ કાર્યક્રમ દરમ્યાન કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સક્ષમ કક્ષાએ રજુઆત કરવા માટે કર્મચારીઓની એકતા અને સંગઠીતતાની તાકાતને પ્રદર્શીત કરવામાં આવશે.જેમાં નવલખી / મોરબી બંદર ખાતાના તમામ કર્મચારી ભાઈ–બહેનો, પેન્શનરો મોટી સંખ્યામાં જોડાઈ તેમ યુનિટ પ્રમુખ એસ.બી.જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text