ITI દ્વારા વનાળીયાની સરકારી શાળામાં કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની સરકારી માધ્યમિક શાળા – વનાળીયા ખાતે કેરિયરલક્ષી માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો હતો.જેમાં આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે કેરિયરલક્ષી માહિતી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

સરકારી માધ્યમિક શાળા – વનાળીયા ખાતે તા.૩ને ગુરૂવારના રોજ આઈ.ટી.આઈ.મોરબી તેમજ શાળા પરિવાર દ્વારા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઈ.ટી.આઈ.મોરબીથી આવેલ ચિરાગભાઈ ગામી,શાળાના આચાર્ય વી.બી.જાની,શાળાના શિક્ષક એમ.એચ.દેથરિયા,તેમજ શાળાના શિક્ષક યુ.એસ.ઝાલા દ્વારા કેરિયર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોરબી આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.અંતે કેરિયર લક્ષી માહિતી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text