વાંકાનેરના રાજકુંવરની શુક્રવારે રાજતિલક વિધિ

- text


જુના દરબાર ગઢથી બાપુના બાવલા સુધી નગરયાત્રા નીકળશે

વાંકાનેર : વાંકાનેરના રાજવી પરિવારના રાજકુંવરની રાજતિલક વિધિ સમારોહ યોજવામાં આવશે.જેમાં તિલકવિધિ બાદ નગરયાત્રા કાઢવામાં આવશે.રાજયાભિષક વીધી તથા રાજતિલકવિધી વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરમપરાગત રીતે કરવામાં આવશે.તેમજ નગરજનો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેર રાજ પરિવારના નામદાર મહારાણા રાજ કેસરીદેવસિંહની રાજતિલક વિધિ આગામી તા.4ના રોજ વાંકાનેર જુના દરબારગઢમાં સવારના 8:30 થી 9:00 વચ્ચે સંમ્પન કરવામાં આવશે.રાજતિલક વિધિ બાદ તે દિવસે સવારના 09:30 થી જુના દરબાર ગઢથી શરૂ કરીને ચાવડીચોક,મેઈનબજાર,પુલદરવાજા ચોકથી બાપુના બાવલા સુધી એક નગરયાત્રા કાઢવામાં આવનાર છે.તેમજ બાપુના રાજતિલક વિધિના માનમાં વાંકાનેર શહેર તેમજ વાંકાનેર તાલુકાના સમસ્ત ગ્રામજનો માટે તા.5ના રોજ સાંજના 5:00 કલાકે શીતળા માતાજીના મેળાના મેદાનમાં બાપુનો અભિવાદન કાર્યક્રમ તથા ભોજન સમારંભ યોજવામાં આવેલ છે.આ પ્રસંગે સમગ્ર જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વાંકાનેરના પ્રજાવત્સલ્ય રાજવી સ્વ.અમરસિંહ ઝાલાના પપૌત્ર કેશરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની રાજયાભિષક વીધી તથા ‘રાજતિલકવિધી’નો પાવન પ્રસંગ વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરમપરાગત રીતે પાંચ દિવસ સુધી જુદા જુદા પાવન કાર્યો સાથે ઉજવવા વાંકાનેરના રાજ પરિવાર સાથે સમગ્ર વાંકાનેર પંથકના નગરજનોમાં અનેરો થનગનાથ જોવા મળી રહયો છે.ગામે ગામ સંતો-મહંતો અને ક્ષત્રીય સમાજ સહીત તમામ સમાજના અગ્રણીઓ,શ્રેષ્ઠીઓને નિમંત્રણો પહોંચાડવા સહીતની “રાજતિલક વિધીની તડામાર તૈયારીઓ સાથે જુના દરબારગઢ અને ગરાસીયા બોડીંગ ખાતેથી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે.

- text

રાજ પરિવારના આંગણે પરમપરાગત રીતે યોજાનાર ”રાજતિલકવિધી” ની માહીતી આપતા મહારાણારાજ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવેલ કે તા. ૧/૩/૨૦૨૨ને મહાશિવરાત્રીના પાવન દીને વાંકાનેરથી દસ કિ.મી. દૂર આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે જડેશ્વર દાદાના નિજ મંદિરમાં અભિષેક –પુજન બાદ જડેશ્વર મહાદેવ મંદિરના ‘રતન ટેકરી’ ના પ્રવેશ ધ્વારે બનાવવામાં આવેલ ”દિગ્વિજય ઘ્વાર’ મંદિરને અર્પણ કરવામાં આવશે.

- text