લખધીરગઢ પ્રાથમિક શાળામાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાજંલી અર્પણ કરાઈ

- text


ટંકારા : ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી.દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર આ શહીદોને બાળકો દ્વારા પત્ર રજૂ કરવામાં આવ્યા હતા.બાળકો દ્વારા દેશ પ્રેમની કવિતા પણ રજૂ કરવામાં આવી હતી.

- text

લખધીરગઢ પ્રાથમિક શાળામાં પુલવામામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું.તેમજ શહાદત એટલે શું?ની સમજ પણ આપવામાં આવી હતી. બાળકો દેશદાઝવાળા બને અને તે માટે દેશ પ્રેમની કવિતા પણ રજૂ કરવામાં આવી હતી. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર આ શહીદોને પત્ર પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતા. બાળકો અને સ્ટાફ ગણે આજના પ્રસંગને અનુરૂપ વિવિધ જાણકારી આપી હતી.જેથી બાળકોનાં હ્રદયમાં પણ દેશપ્રેમના બીજ અંકુરિત થાય.બાળકોમાં દેશપ્રેમની ભાવના તેમજ સારા મૂલ્યો ખીલે એ જ અંતિમ લક્ષ્ય હોય છે.

- text