હળવદના ચરાડવા નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી

- text


પોલીસ ઘટના સ્થળે પહોંચી:લાશને પી.એમ માટે સરકારી હોસ્પિટલે લઈ જવાઈ

હળવદ : હળવદ તાલુકાનાં ચરાડવા ગામના પાદરમાંથી પસાર થતી મોરબી નર્મદા બ્રાંચ કેનાલમાંથી આજે બપોરના સમયે અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવતા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી લાશને કેનાલમાં થી બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ લઇ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના 11:30 ની આસપાસ ચરાડવા ગામ પાછળથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા યુવાનની કોહવાઈ ગયેલી હાલતમાં દુર્ગંધ મારતી લાશ કેનાલના વહેતા પાણીમાં તરતી હોવાનું ત્યાંથી પસાર થતા લોકોના ધ્યાને આવતા તેઓ દ્વારા આ અંગેની જાણ ગામના સરપંચને કરવામાં આવી હતી જેથી સરપંચ દ્વારા બનાવની જાણ પોલીસને કરાતા ચરાડવા બીટ જમાદાર સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી આવી લાશને કેનાલ માંથી બહાર કાઢી પીએમ માટે ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લાશ વધુ કોહવાઈ ગયેલી હોવાથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતી હોય જેથી લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલવા પોલીસે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text