27થી 7 જાન્યુઆરી સુધી સ્વામિનારાયણ મહામંત્રની અંખડ ધૂંન

- text


હળવદના રાતાભેર પાસે આવેલ ઘનશ્યામ ફાર્મ સહિતના સ્થળે અંખડ ધૂંનનું આયોજન

મોરબી : હળવદના રાતાભેર પાસે આવેલ ઘનશ્યામ ફાર્મ ખાતે 27થી 7 જાન્યુઆરી સુધી સ્વામિનારાયણ મહામંત્રની અંખડ ધૂંનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમગ્ર જીવાત્માના કલ્યાણકારી સ્વામિનારાયણના મહામંત્ર જાપ કરીને સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

હળવદના રાતાભેર ખાતે આવેલ ઘનશ્યામ ફાર્મમાં મગનભાઈ દામજીભાઈ ભોરણીયા અને જીજ્ઞેશભાઈ મગનભાઈ ભોરણીયા દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની અંખડ ધૂંનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 ડિસેમ્બરને સોમવારથી 7 જાન્યુઆરી શુક્રવાર સુધી યોજાનાર 11 દિવસીય સ્વામિનારાયણ મહામંત્રની અંખડ ધૂંનમાં તા.27 ના રોજ વેજલપર, તા.28 ના રોજ જુના ઘાટીલા, તા.29 ના રોજ નવા ઘાટીલા, તા.30 ના રોજ મયુરનગર, તા.31 ના રોજ રણજીતગઢ, તા.1 ના રોજ પ્રતાપગઢ, તા.2 ના રોજ સુરવદર, તા.3ના રોજ જુના દેવળીયા, તા.4ના રોજ નવા દેવળીયા, તા.5ના રોજ ખેવરિયા, તા.6ના રોજ બરવાળા, તા.7ના રોજ ખાખરેચી ઉપરાંત નવા રાયસગપર, હરબટીયાળી, ગોકુળીયા અને મોરબીના ભક્તજનો ઘૂંનનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text