- text
મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી-પાણી
હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે અને પાણી ભરાવવાને કારણે ખેડૂતના કપાસના પાક ઉપર ખતરો ઉભો થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા યોજના હેઠળ મોરબી બ્રાન્ચ કેનાલ કે જે હળવદના કડીયાણા નજીકથી પસાર થાય છે તેમા ગાબડું પડતા કેનાલના પાણી બચુભાઈ કોળી અને અન્ય એક ખેડૂતના ઉભા કપાસના પાકમાં ફરી વળ્યાં હતા.
નર્મદા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ભરાવાને કારણે કપાસનો ઉભો પાક બળી જાય તેવી દહેશત સેવાઇ રહી છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર ચોમાસે કેનાલમાં ગાબડાં પડતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
- text
ઉલ્લેખનીય છે કે કેનાલ વિભાગના કર્મચારીઓની લાપરવાહીને કારણે હાલમાં માળીયાના છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી તેવા સમયે જ કેનાલમાં ગાબડા પડતા આજે અમૂલ્ય જળ જથ્થો વેડફાઈ જવા પામ્યો હતો.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text