ગરમી પીછો નહિ છોડે : મોરબી જિલ્લામાં હજુ 5 દિવસ તાપમાન 41થી 42 ડીગ્રી જ રહેશે

- text


મોરબી : મોરબી જીલ્લામાં આગામી આવતીકાલે તા.૧૦ થી તા.૧૪ દરમ્યાન સૂક, ગરમ અને અંશત: વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧-૪૨ ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રહેશે. તેવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે.

વધુમાં જણાવાયુ છે કે રાત્રી દરમ્યાન ૨૪-૨૪ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૬ ૭૯ અને ૨૦-૨૬ ટકા રહેશે. પવનની દિશા પશ્ચીમની રહેવાની અને પવનની ઝડપ ૨૨ થી ૨૬ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

લોકોએ શુ ધ્યાન રાખવું ?

આ પાંચ દિવસ દરમિયાન ગરમ લુ પડવાની શક્યતા હોય આકરા તાપમાં બપોરના સમયે બહાર નીકળવું નહિ. પુષ્કળ પાણી પીવું. લસ્સી, છાશ, લીંબુ સરબત મોસંબી તથા અન્ય ફળના જ્યુસ પીવું. હલકા સુતરાઉ કપડા પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી.

પશુ માટે શું ધ્યાન રાખવું ?

પશુઓને બપોરના સમયે વૃક્ષોના છાયામાં અથવા શેડમાં રાખવા. તાપમાન વધારે રહેવાના કારણે પશુઓને દિવસના સમયે છાયડામાં રાખવા અને મિનરલ મિક્ચર યુક્ત પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી. દુધાળા પશુઓને ઉનાળામાં ઠંડક આપવા પાણીનો છટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારનું પ્રમાણ વધારવુ.

- text

પાક માટે શું ધ્યાન રાખવું ?

શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી.ઉનાળુ પાકો તેમજ શાકભાજી પાકોને જરૂરિયાત મુજબ પિયત આપવું. શિયાળુ પાકની કાપણી પછી ઊંડી ખેડ કરવી અને જમીનને સૂર્યના તાપમાં તપવા દેવી જેથી જીવાતોના ઈંડા અને કોશેટાનો તેમજ રોગકારક ફુગ અને જીવાણુંનો નાશ થાય. નિદામણ દ્વારા ઉનાળુ પાકોને નિદામણ મુક્ત રાખવા.

- text