મોરબીમાં ભાજપ દ્વારા યોજાઈ મેરેથોન યાત્રા

- text


લોકોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાથી સરદાર પટેલની પ્રતિમા સુધી મેરેથોન દોડ લગાવી

મોરબી : મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, બંને મહામંત્રીઓ ભાવેશભાઈ, રિશીપભાઇની તેમજ મોરબી તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા અને મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરાની સૂચનાને પગલે મોરબી શહેર યુવા મોરચા તથા તાલુકા યુવા મોરચા દ્વારા મોરબીમાં આજે સ્વામી વિવેકાનંદની પ્રતિમાથી સરદાર પટેલની પ્રતિમા સુધી મેરેથોન દોડ યોજાઈ હતી.

મેરેથોન દોડમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી શહેર મંત્રી નરેન્દ્રભાઇ પોપટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ ઉપરાંત શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા, બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક, યોગીરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નીતેશભાઈ બાવારવા તથા બંને મહામંત્રી આનંદભાઈ અગોલા તથા શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ બોરીચા, કેયુરભાઈ પંડ્યા, અરૂણભાઇ રામાવત, રવિભાઈ રબારી, જયેશભાઈ ડાભી, મીતુલભાઇ ધ્રાંગ્રા તેમજ મંત્રી ધવલભાઈ ત્રિવેદી, શક્તિસિંહ જાડેજા, મનીષભાઈ બોરીચા, સિધ્ધરાજસિંહ ઝાલા અને શિવરાજસિહ જાડેજા, મનીષભાઈ સોલંકી, રામભાઇ જીલરિયા, મહાવીરસિંહ જાડેજા, સુખદેવભાઈ અને જયેશભાઈ ડાંગર હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text