મોરબીમાં 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ રાતો – રાત ઉભો કરતું સિરામિક એસોસિએશન

- text


મોરબીમાં 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ રાતો – રાત ઉભો કરતું સિરામિક એસોસિએશન

કેન્દ્ર સરકાર તાકીદે લિકવિડની મંજૂરી આપે તો પ્લાન્ટ કાર્યરત થાય

મોરબી : કોરોના મહામારીમાં હાલ મોરબી જ નહીં બલ્કે દેશભરમાં ઓક્સિજનની કારમી અછત છે તેવા સમયે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા માત્ર છ થી સાત દિવસમાં જ દરરોજ 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી દીધો છે, જો કે કેન્દ્ર સરકાર આ માટે જરૂરી લિકવિડનો ક્વોટા સત્વરે મંજુર કરે તો મોરબી ઉપરાંત અન્ય જિલ્લાને પણ ઓક્સિજન મળી શકે તેમ છે.

મોરબી સીરામીક એસોસીએસનની ટીમના હોદેદારો દ્વારા રાત દિવસ એક કરીને અથાક પ્રયત્નો દ્વારા માત્ર ૬-૭ દિવસમા જ ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટન ઉભો કરી દીઘો છે જેમા જરુરી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટીનુ લાયસન્સ પણ સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી મળી ગયુ છે પરંતુ હવે આ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર ઝડપથી લીક્વીડનો કોટો ફાળવી આપેતો આ પ્લાન્ટમા રોજના ૧૦૦૦ સીલીન્ડર ઓકિસજન રીફીલીંગ થઈ શકે તેમ છે

- text

વધુમાં મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલ વાળાઓને બીજા જીલ્લામા રીફીલીંગ માટે મોકલવામા આવતા ઓકિસજન સીલીન્ડરમા વઘુ સમય લાગે છે અને જે તે જીલ્લાના કલેક્ટરના આદેશ મુજબ પાબંદી હોવાથી અને મર્યાદિત કોટો હોવાથી મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલોને સમયસર ઓકિસજનના મળતા મોટી હેરાનગતિ થઈ રહી છે જેથી દદીઁઓની મુશ્કેલીમા વઘારો થાય છે.

આ સંજોગોમાં જો આ પ્લાન્ટને સમયસર લીક્વીડ કોટો મળી જાય તો મોરબીના તમામ જરૂરીયાત વાળા દદીઁને સમયસર ઓકિસજન મળી રહેશે
પરંતુ લીક્વીડનો કોટો સમયસર મળે એ ખુબ જ જરુરી હોય આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

- text