માળીયા (મી.) પંથકમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું : ખાખરેચી ગામે એક દિવસમાં પાંચ મોત

- text


માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના ગામડાઓમા કોરોનાએ રીતસરનો ભરડો લીધો છે. કોરોના જાણે બેકાબૂ બનીને મોતનું તાંડવ ખેલવા બેઠો હોય તેમ ખાખરેચી ગામમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત નિપજ્યાં હતા અને એકટીવ કેસોની સંખ્યા પણ આ ગામમાં ત્રણના અંકમાં પહોંચી જવા પામી છે. માળિયા મીયાણા તાલુકાના લક્ષમીવાસ, નાના ભેલા, સરવડ, ચાચાવદરડા, તરઘરી જેવા ગામોમાં યુવા વયના લોકોએ કોરોના સામે જંગ હારી જીવ ગુમાવતા આ વિસ્તારોમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

- text

ખાખરેચી જીલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયાએ જણાવ્યું હતું કે માળિયા મીયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ ગંભીર છે. ખાખરેચી ગામમાં એક દિવસમાં પાંચ લોકો મોતને ભેટયા છે. છેલ્લા દશ દિવસમાં ખાખરેચી ગામમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને એકટીવ કેસોની સંખ્યા એક જ ગામમાં એકસોથી વધુ છે. ચુંટણીઓ વખતે ગામડાઓ ખુંદી નાંખતા નેતાઓ આજે ડોકાતા નથી તેવો રોષ પણ વ્યક્ત કર્યો હતો.

- text