મોરબી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે દીલીપભાઈ અગેચાણીયા રિપીટ

- text


બાર એસોસિએશનની મીટીંગમાં પ્રમુખ સહિતના હોદેદારોને યથાવત રાખવાનો નિર્ણય જાહેર કરાયો

મોરબી : મોરબી બાર એસોસિએશનની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે બાર એસોસિએશનના પ્રમુખ સહિત તમામ હોદેદારોને ચાલુ વર્ષના અંત સુધી હોદા પર ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આથી, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે દીલીપભાઈ અગેચાણીયાને રિપીટ કરવામાં આવ્યા છે અને તમામ હોદેદારોની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી છે.

- text

મોરબી જીલ્લા વકીલ મંડળના પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની અધ્યક્ષતા હેઠળ તાજેતરમાં મોરબી વકીલ મંડળની જનરલ બોર્ડનાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં ચાલુ વર્ષથી મોરબી બાર એસોસિએશનની ચુંટાયેલ બોડીને આગામી તા. ૩૧/૧૨/૨૧ સુધી યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેથી, બીજા વર્ષે પણ મોરબી વકીલ મંડળના ચૂંટાયેલ પ્રમુખ દીલીપભાઈ અંગેચાણીયા, ઉપપ્રમુખ અશોક્ભાઈ સરાડવા, સેક્રેટરી મહીધરભાઈ દવે, જોઇન્ટ મેક્રેટરી અલ્પેશભાઈ પારેખ, કારોબારી સભ્ય કલ્પેશ શેખસીયા, ધવલ શેરસિયા, ઉદપસિંહ જાડેજા આ તમામ હોદેદારો આગામી તા. ૩૧/૧૨/’૨૧ સુધી કાર્યરત રહેશે. આ તકે મોરબી જીલ્લા વકીલ મંડળના વકીલોએ આ તમામ હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી છે.

- text