મોરબીના ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રીની મુલાકાતે, બજેટમાં ખાસ લાભ આપવા બદલ માન્યો આભાર

- text


પડતર પ્રશ્નો અંગે રજુઆત પણ કરાઈ

મોરબી : મોરબીના ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. મોરબી માટે બજેટમાં ખાસ જોગવાઈઓ કરવા બદલ ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. સાથોસાથ પડતર પ્રશ્ને રજૂઆતો પણ કરી હતી.

- text

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં મોરબી- પીપળી- જેતપર- મચ્છુ રોડ તથા મોરબી-હળવદ રોડ ફોરલેન કરવા રૂપિયા 309 કરોડની માતબર રકમ તેમજ નવલખી બંદરની નવી માળખાકીય સુવિધા વિકસાવવા નવી જેટી માટે રૂપિયા 192 કરોડની રકમ ફાળવવામાં આવી છે. તે અનુસંધાને મોરબી સીરામીક એશોસીએસનના સર્વે પ્રમુખ તથા અગ્રણી ઉધોગકારોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો આભાર માન્યો હતો. અને અમુક પેન્ડીંગ મુ્દ્દાઓ બાબતે પણ યોગ્ય કરવા રજુઆત કરી હતી.

- text