વાંકાનેર : એફવાય બીએસસી નર્સિંગની 2019ની ઉતરવહી કચરામાંથી મળી આવી

- text


કચરાના ઢગલામાંથી ઉતરવહીઓ મળતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા

વાંકાનેર : વાંકાનેર નજીક હાઈવે પર ચંદ્રપુર ગામ નજીકથી ઉતરવહીઓ મળી આવી હતી. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી એફવાય બીએસસી નર્સિંગની ઉતરવહી હોવાનું જાણવા મળ્યું છે. કચરાના ઠગલામાંથી ઉતરવહીઓ મળતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર નજીક હાઈવે પર ચંદ્રપુર ગામ નજીક કચરાના ઢગલામાંથી ઉતરવહીઓ મળી આવી છે.આ ઉત્તરવહીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી એફવાય બીએસસી નર્સિંગની હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે.વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર ૨૦-૨૫ જેટલી ઉતરવહીઓ કચરાના ઢગલામાથી મળી આવી છે.કચરાના ઢગલામાંથી ઉતરવહીઓ મળતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે વાંકાનેર નજીકથી એફવાય બીએસસી નર્સિંગની ઉતરવહી મળી આવતા સમગ્ર મોરબી જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

- text

- text