- text
મોરબી : રાજકોટ મધ્યસ્થ જેલમાં ભરણપોષણના કેસમાં જેલવાસ ભોગવતા નવઘણભાઈ ભીખાભાઈ જોગીયાણી ઉ.વ.35 વચગાળાના જામીન ઉપરથી ફરાર થઇ ગયો હોય મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે તેને હળવદના ઘનાળા ગામેથી પકડી પાડયો છે. હાલ આ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- text