ઘુંટુ ગામે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈને પરણીતાનો આપઘાત

- text


મોરબી: મોરબીના સામાં કાંઠે હળવદ રોડ ઉપર આવેલ ઘૂટું ગામ નજીક આવેલ જનકપુરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત મીઠું કરતા બનાવની નોંધ લઈ તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ જનકપુરમાં નિશાળ વાળી શેરીમાં રહેતા ભાવેશભાઈ જયંતીભાઈ કાનાણીના 26 વર્ષીય પત્ની ઇલાબેને તેના ઘરે ગળાફાંસો લગાવીને મોત મીઠું કરતા પોલીસે મૃતકના પરિજનોની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા છ માસથી ઇલાબેન ભાવેશભાઈ કાનાણીને માનસિક તકલીફ રહેતી હતી. જેનાથી કંટાળીને તેઓએ ગળેફાંસો ખાઇ લીધો છે. મૃતકના લગ્નનો ગાળો પાંચ વર્ષનો હતો અને પરિવારમાં સાસુ-સસરા સાથે રહેતા હતા. તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. એસ.આર.ચાવડા ઉક્ત બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text