મોરબીમાં ગુરુવારે પાણી વિતરણ બંધ રહેશે, 3 લાખની વસ્તીને અસર કરશે

- text


ગૌશાળા ફિલ્ટર હાઉસમાં રિપેરીંગ કામ હોવાથી એક દિવસ માટે શહેરમાં પાણી કાપ લદાયો

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા શહેર આખામાં ગુરુવારે એક દિવસ માટે પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાંથી આખા શહેરમાં પાણી વિતરણ થાય છે, તે ગૌશાળા ફિલ્ટર હાઉસનું રિપેરીગ કામ હોવાથી આ એક દિવસ માટે પાણી કાપ લાદવામાં આવ્યો છે. આ પાણી કાપની શહેરની અંદાજીત 3 લાખની વસ્તીને અસર કરશે.

- text

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગૌશાળા ફિલ્ટર હાઉસમાંથી નગરપાલિકા દ્વારા શહેર આખાને દૈનિક પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેમાં મચ્છુ ડેમ-2માંથી સીધું પાણી આ લીલાપર રોડ પરના ગૌશાળા ફિલ્ટર હાઉસમાં આવે છે. આ ફિલ્ટર હાઉસમાં મચ્છુ ડેમના પાણીને શુદ્ધ કરીને નગરપાલિકા દ્વારા શહેરની જનતાને પહોંચાડવામાં આવે છે. પણ મોરબી નગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગૌશાળા ફિલ્ટરમાં કોઈ ખામી સર્જાઈ હોવાથી તેના રિપેરિંગ કામ માટે શહેરમાં એક દિવસ પાણી વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તા. 26ને ગુરુવારે એક દિવસ માટે શહેરમાં પાણી વિતરણ નહિ થાય તેવી નગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ એક દિવસના પાણી કાપની શહેરની અંદાજીત 3 લાખની વસ્તીને અસર કરશે.

- text