મોરબીના લીલાપર રોડ (જેલ રોડ)નું બુધવારે ખાતમુહૂર્ત કરાશે

- text


મોરબી : ગુજરાત સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા મોરબીના લીલાપર રોડ (જેલ રોડ) 5 કી. મી.ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર કરવામા આવ્યો છે. રોડનુ ખાતમુહૂર્ત આવતીકાલે તા. 25 ને સવારે : 8 વાગ્યે વિધુત સ્મશાન પાસે, લીલાપર રોડ ખાતે સાસંદ મોહનભાઇ કુડાંરીયાના વરદ હસ્તે કરાશે.આ પ્રસંગે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મોરબી-માળીયા(મી) ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા , મોરબી શહેર ભાજપ પ્રમુખ, લાખાભાઇ જારીયા, મોરબી શહેર ભાજપ મંહામંત્રી સહિત શહેર ભાજપ ટીમ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, કાઉન્સિલર ભરતભાઇ જારીયા સહીત તમામ ભાજપ આગેવાનો ઉપસ્થિત રહેશે.

- text

- text