- text
ટંકારા : ટંકારામાં પાણી ઢોળતી વખતે વીજતારને અડકી જતા પરિણીતાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના કલ્યાણપર ગામની સીમમા આવેલ રાધે પોલીમર્સ કારખાનાના મજુરની ઓરડીમાં રહેતી શીતલબેન ધીરેનભાઇ પરમાર ઉ.વ.૨૫ નામની પરિણીતા ગઈકાલે પોતાની ઓરડીની છત ઉપરથી જી.ઇ.બી.ના તાર નીકળતા હોય અને જે ઓરડીમાથી પાણી ઢોળવા જતા જી.ઇ.બીના ઇલેકટ્રીક તાર ને અડી જતા શોર્ટ લાગતા તેણીનું મોત નીપજ્યું હતું.ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
- text