ત્રાજપર-ખારીમાં આર્થિક સંકળામણથી કંટાળી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના ત્રાજપર-ખારીમાં રહેતા એક મજૂરે આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ત્રાજપર-ખારી ગામમાં રહેતા કેશરભાઇ ઉકાભાઇ ડાભી (ઉ.વ. 40) મજુરી કામ કરતો હતા અને એકલો રહેતા હતા. છેલ્લા ઘણા સમયથી મજુરી કામ બરોબર ચાલતુ ન હોય. જેથી, આર્થીક સંકળામણના કારણે ગઈકાલે તા. 22ના રોજ પોતાની ઘરે નળીયાની વરીમા લોખંડના હુક સાથે સાડી બાંધી ગળે ફાસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text